ભારતીય બંધારણના અનુચ્છેદ 5 થી અનુચ્છેદ 11 માં એકલ નાગરિકતાની વ્યવસ્થા કરાઈ છે.

અનુછેદ-5

બંધારણ લાગુ થયાના સમયે ભારતીય મુળના વ્યક્તિ ભારતની નાગરિકતાનો હક્કદાસ બની શકશે.

અનુછેદ-6

કોઈ વ્યક્તિ 19 જુલાઈ 1948 પહેલા પાકિસ્તાનથી પ્રવાસ કરીને ભારતમાં આવ્યો હોય તેને બંધારણના પ્રારંભમાં ભારતનો નાગરિક સમજવામાં આવશે.

અનુચ્છેદ-7

1 માર્ચ 1947 પછી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ અને પાછળથી ભારત પરત આવેલ હોય તેવા ભારતીય નાગરિકતા મેળવી શકશે.

આપણ જરુર વાંચો - Bhartiya Bandharan ma Nagriktva – ભારતીય બંધારણ માં નાગરિકત્વ – GK

અનુચ્છેદ-8

કોઈ વ્યક્તિ અથવા તેના માતા-પિતામાંથી કોઈ અથવા દાદા-દાદી કે નાના-નાનીમાંથી કોઈ ભારત શાસન અધિનિયમ, 1935માં ભારતમાં જન્મ્યાં હોય અને તે વિદેશમાં રહેતાં હોય તો તેને ભારતની નાગરિક ગણવામાં આવશે.

અનુછેદ-9

કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છાથી બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારે તો તેને ભારતની નાગરિક ગણવામાં આવશે નહિ.

અનુચ્છેદ-10

નાગરિક હકોનું સાતત્ય સંસદે બનાવેલ કાયદાને આધીન રહેશે.

અનુચ્છેદ-11

નાગરિકત્વનો સ્વીકાર અને ત્યાગની બાબતમાં સંસદની સત્તાઓ. ભારતમાં એકલ નાગરિકત્વનો સિદ્ધાંત સ્વીકારાયો છે એટલે કે નાગરિકત્વ કેન્દ્ર (સંઘ) નું આપવામાં આવે છે, રાજ્યનું નહિ.

  -   આ પણ જરુર વાંચો.

Post a Comment

Previous Post Next Post